રાજ્યના ત્રણ મદદનીશ વન સંરક્ષકની બદલી : જૂનાગઢના વન સંરક્ષક જયન આર. પટેલને વિસાવદર ગીર (પશ્ચિમ) વન વિભાગમાં મુકાયા

0

રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા ત્રણ મદદનીશ વન સંરક્ષકની બદલીના હુકમો થયા છે જેમાં પાલનપુરના આર.એલ. જાલંધરાને કાકરાપાર મુકાયા છે, અરવલ્લીના મિતેષકુમાર એચ. પટેલને પાલનપુરમાં, આર.એલ. જાલંધરાની ખાલી પડેલ જગ્યાએ બદલી કરાઈ છે. જયારે જૂનાગઢના વન સંરક્ષક જયન આર. પટેલને વિસાવદર ગીર(પશ્ચિમ ) વન વિભાગમાં મુકાયા છે.
આ ઉપરાંત મદદનીશ વન સંરક્ષક મિતેષકુમારને બનાસકાંઠા વન્ય જીવ વિભાગ પાલનપુર ખાતે નાયબ વન સંરક્ષકનો વધારાનો હવાલો સોંપાયો છે જયારે રાજપીપળાના સુશ્રી મીનલ જાનીને કેવડિયા મુકાયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!