સોમનાથ-જબલપુર ટ્રેનને જૂનાગઢનો સ્ટોપ આપવા માંગણી

0

સોમનાથ-જબલપુરને જૂનાગઢનો સ્ટોપ રદ કરાતાં લોકોમાં ફરી એકવાર અન્યાય કરાયો હોવાની લાગણીને પગલે જૂનાગઢને સોમનાથ-જબલપુર ટ્રેનનો સ્ટોપ આપવા વડાપ્રધાન અને રેલમંત્રીને એક પત્ર લખી માંગણી કરવામાં આવી છે. આ અંગે ભારતીય જનતા પક્ષના પૂર્વ નગરસેવક અને મહામંત્રી અમૃતભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે રેલ્વે તંત્ર દ્વારા આગામી તા. ૩-૧૦-ર૦થી શરૂ થનાર સોમનાથ-જબલપુર ટ્રેનનો જૂનાગઢ રેલ્વે સ્ટેશન ખાતેનો સ્ટોપ કોરોનાનું કારણ દર્શાવી રદ કરવામાં આવેલ છે. ત્યારે આ અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રેલ્વે મંત્રી પિયુષ ગોયલને એક પત્ર દ્વારા જાણ કરી આ બાબતે તત્કાલ યોગ્ય નિર્ણય લેવા માંગણી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!