વકીલોને પડયા ઉપર પાટુ મારવાની સરકારી નીતિનો વિરોધ કરી નર્મદા બાર એસો.દ્વારા કલેક્ટરને આવેદન અપાયું

0

નર્મદા ડીસ્ટ્રીકટ બાર એસોસીયેશન દ્વારા જિલ્લા કલેકટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ
તા.૬-૧૦-૨૦૨૦ના રોજ ગુજરાત સરકારે વિવિધ સેવાઓ માટે ડીજીટલ સેવા સેતુ માધ્યમથી માત્ર ૨૦ રૂપિયાની ફી થી ૨૨ જેટલી સેવાઓ ૮ ઓકટોબરથી ઓનલાઇન શરૂ કરવાનો ર્નિણય કર્યો છે જેના કારણે રેશનકાર્ડ, આવકનો દાખલો, વિધવા દાખલો,ક્રીમીલેયર સર્ટીફીકેટ વિગેરે ગામ કક્ષાએ થશે અને સરકાર આ સેવાઓ માટે ગ્રામ કક્ષાએ એફીડેવીટ (સોંગદનામા) કરવાની સત્તા જે તે ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીઓને આપી છે. ગુજરાત સરકાર દ્વારા લેવાયેલ આ ર્નિણયનો નર્મદા ડીસ્ટ્રીકટ બાર એસોસીયેશન ઉગ્ર વિરોધ કરી જણાવ્યું હતું કે હાલમાં લોક ડાઉનને કારણે છેલ્લા ૬ મહિનાથી કોર્ટનું કામકાજ સંપૂર્ણપણે ઠપ્પ થયેલ છે તેવા સંજોગોમાં વકીલોની એકમાત્ર આજીવીકા નોટરીના વ્યવસાય ઉપર આધારીત હોઇ અને કોર્ટ બંધ હોવાને કારણે વકીલોની આર્થીક સ્થિતી ઉપર ખુબ જ માઠી અસર પડેલ હોઇ તેની જાણ ગુજરાત સરકારને હોવા છતા વકીલોના હિતને ધ્યાનમાં રાખ્યા વગર વકીલોને પડયા ઉપર પાટુ મારવાની જે નીતિ અપનાવી છે તે નીતિનો નર્મદા જિલ્લા બાર એસાસીએશને આવેદનપત્ર આપી વિરોધ કરી તલાટીઓને સોંગદનામાની સત્તા આપી છે તે મોકુફ રાખવા બાબતે નર્મદા બાર એસોસિયેશનના પ્રમુખ કુ.વંદનાબેન ભટ્ટ અને સભ્યોએ નર્મદા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!