વંથલી તાલુકાના ખોખરડા ગામે પૈસા બાબતના મનદુઃખે હુમલો : ત્રણ સામે ફરિયાદ

0

વંથલી તાલુકાના ખોખરડા ગામે પૈસા બાબતના મનદુઃખે હુમલાનો બનાવ બનવા પામેલ છે અને ત્રણ સામે પોલીસ ફરીયાદ નોંધાઈ છે. આ બનાવ અંગે વંથલી પોલીસે આપેલી વિગત અનુસાર પરબતભાઈ દેવાભાઈ ડાંગર (ઉ.વ.ર૩) રહે.ખોખરડાવાળાએ કરશનભાઈ નાગદાનભાઈ છૈયા, છગનભાઈ ડાયાભાઈ છૈયા, મુનાભાઈ ઘેલાભાઈ છૈયા વગેરે સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના ફરીયાદીએ આરોપી નંબર (ર) પાસેથી આશરે પંદરેક માસ પહેલા રૂપિયા બે લાખ લીધેલ હોય જે રૂપિયા ફરીયાદીએ કટકે – કટકે સાડા ત્રણ લાખ આપી દીધેલ હોય તેમ છતા આરોપી નંબર (ર) નાઓને વધુ પાત્રીસ હજાર જાેઈતા હોય તેનું મનદુઃખ રાખી ફરીયાદીની કાકી તથા કાકાના દીકરાને ભુંડી ગાળો કાઢી આરોપી નં.(૧)નાએ પાઈપ વતી તથા આરોપી નંબર (ર)(૩) નાઓએ લાકડી વતી માર મારી ફરીયાદીના ડાબા હાથમાં ફેકચર જેવી ઈજાઓ કરી હતી તથા આરોપી નંબર (ર)(૩) નાઓએ લાકડીઓ વતી માર મારી ઈજા કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી એકબીજાને મદદગારી કરી ગુનો કર્યાની ફરીયાદ નોંધાવતા વધુ તપાસ વંથલી પોલીસ સ્ટેશનના હે.કો. એસ.ડી. સોંદરવા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!