દામોદર કુંડ ખાતે રપ૧ ચુંદડી ઓઢાડી મનોરથ કાર્યક્રમ યોજાયા

0

રાધા દામોદરરાયજી મંદિર ટ્રસ્ટ, જૂનાગઢ દ્વારા અધિક માસ નિમિત્તે દામોદર કુંડ ખાતે ચુંદડી ઓઢાડવાનો મનોરથ કાર્યક્રમ યોજાયો હતો જેમાં દામોદર કુંડે રપ૧ ચુંદડી ઓઢાડવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં વૈષ્ણવો ઉમટી પડયા હતા અને મનોરથના દર્શન કર્યા હતા. સામાન્ય રીતે નદીઓને ચુંદડી ઓઢાડવામાં આવે છે ત્યારે દામોદર કુંડ સોનરખ નદી ઉપર આવેલ હોય આ મનોરથ યોજાયો હતો. આ કાર્યક્રમ વેળા દામોદર કુંડે જાણે યમુના સ્વરૂપ ધારણ કરેલ હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. આ તકે ચુંદડી ઓઢાડી ભકતોએ મનોરથ પૂર્ણ કરવાની પ્રાર્થના કરી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!