માણાવદરમાં ફાયનાન્સ કંપનીની શાખા સળગાવી નાંખવાની ધમકી

0

જૂનાગઢમાં વાડલા ફાટક પાસે રાધીકા ટાઉનશીપમાં રહેતા ધ્રુવભાઈ કીરીટભાઈ પંડયા (ઉ.વ.ર૭)એ મહેશભાઈ રાણાભાઈ તથા મનોજભાઈ વાલાભાઈ ડાંગર (રહે.વેળવા વાળા) વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીની ગોલ્ડ લોન આઈસીઆઈસીઆઈ બેંકમાં રૂા.૧૦,૯૦,૦૦૦/-ની ચાલુ હોય જે ટ્રાન્સફર કરવા સારૂ ફરીયાદી તથા સાહેદ પાસેથી પ્રથમ રૂા.પ,૯૦,૦૦૦/- તથા આરોપીના પોતાના રૂા.પ,૦૦,૦૦૦/- થઈ એમ કુલ રૂા.૧૦,૯૦,૦૦૦/-ની ગોલ્ડ લોન આઈસીઆઈસીઆઈ બેંકમાંથી પુરી કરી આરોપીઓએ આઈઆઈએફએલ ફાઈનાન્સ લીમીટેડ કંપનીમાં બે ગોલ્ડ લોન કુલ રૂા.૧ર,પ૩,૪૯૩/-ની કરાવી ફરીયાદી તથા સાહેદે ગોલ્ડ લોન છોડાવવા મદદ કરેલ. રૂા.પ,૯૦,૦૦૦/-માંથી ફરીયાદી તથા સાહેદે રૂા.૪૦,૦૦૦/-ની રીકવરી કરેલ અને બાકી નિકળતા રોકડ રૂા.૧,૯૦,૦૦૦/- તથા આરટીજીએસથી પૈસા ટ્રાન્સફર ન થતા આરોપીઓએ ફરીયાદી તથા સાહેદે સાથે ગાળાગાળી કરી શાખા સળગાવી દેવાની ધમકીઓ આપી રોકડ રૂપિયા પ,૦૦,૦૦૦/- લઈ એમ લોન સિવાયના નિકળતા કુલ રૂા.૬,૯૦,૦૦૦/-લઈ આજ દિન સુધી નહીં આપી વિશ્વાસઘાત કરી છેતરપીંડી કર્યાની ફરીયાદ નોંધાવતા વધુ તપાસ માણાવદરના હે.કો. વી.જે. સીસોદીયા ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!