કેશોદ તાલુકાનાં પાણખાણ ગામે રૂા.ર.૧૮ લાખની છેતરપીંડી

0

કેશોદ તાલુકાના પાણખાણ ગામનાં રામભાઈ ભીખુભાઈ સિસોદીયાએ રામ ફાયનાન્સ અમદાવાદનાં પ્રદિપભાઈ નારાયણભાઈ રાણા વિરૂધ્ધ એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપીએ ફરીયાદીને મકાનની લોન લેવા માટે નો મેસેજ મોકલી તે બાદ ફરીયાદીએ આરોપીને ફોન કરતા અમદાવાદ નારાયણપુરામાં આવેલ શ્રી રામ ફાઈનાન્સમાં રૂપિયા ર લાખની લોન કરાવવા જણાવી અને આ લોન પાસ કરાવવા અલગ- અલગ બહાના બતાવી ફરીયાદી પાસેથી અલગ- અલગ તારીખે આજદિન સુધીમાં કુલ રૂા.ર,૧૮,૦પ૦/- આરોપીએ પોતાાના અલગ- અલગ ખાતામાં ફરીયાદીના રૂપિયા જમા કરાવી મેળવી લઈ ફરીયાદી સાથે વિશ્વાસઘાત, છેતરપીંડી કરી ગુન્હો કર્યાની ફરીયાદ નોંધાવતા કેશોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ પી.એસ. ઝાલા વધુ તપાસ ચલાવી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!