વિસાવદરમાં ટ્રેકટર-બાઈક વચ્ચેના અકસ્માતમાં બાળકીનું મૃત્યું

0

વિસાવદર (સરસઈ)ના વેલજીભાઈ મણીભાઈ રીબડીયા અને તેના પત્ની રસીલાબેન વેલજીભાઈ તેમજ તેની પૌત્રી ધાર્મી રાજેશભાઈ રીબડીયા (ઉ.વ.૪) મોટર સાયકલ લઈ ગોરખપરા (સરસઈ)થી કાલાવડ (ગીર) ખાતે તેમના સંબંધીને ત્યાં જતા હતા ત્યારે વિસાવદર પહોંચતા આર્યસમાજ પાસે ટ્રેકટર સાથે મોટર સાયકલ અથડાઈ જતા બાળકી અને તેના દાદા, દાદી જમીન ઉપર પછડાઈ ગયા હતા તેમાં તેની ચાર વર્ષની પૌત્રી ધાર્મી રાજેશભાઈ ઉપર ટ્રેકટરનંુ તોતીંગ વ્હીલ ફરી વળ્યું હતું જેમાં તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જયારે ઈજાગ્રસ્ત વેલજીભાઈ અને રસીલાબેનને વિસાવદર સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. જયાં વેલજીભાઈની હાલત ગંભીર જણાતા તેને વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરવામાં આવ્યા હતાં.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!