રોપ-વે યોજના અને દિનકર યોજના સંદર્ભે જૂનાગઢમાં મુખ્યમંત્રીશ્રીના યોજાનારા કાર્યક્રમ અનુસંધાને જીલ્લા વહીવટી તંત્રની બેઠક યોજાઈ

0

જૂનાગઢ અને સોરઠ પંથકમાં વિકાસની તેજ ગતિ વચ્ચે રોપ-વે યોજનાનાં લોકાપર્ણ માટેનો તખ્તો ગોઠવવામાં આવ્યો છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના તા.ર૪ના ઓકટોબરના જૂનાગઢના સંભવિત કાર્યક્રમ સંદર્ભે ઉર્જા વિકાસ નિગમના મેનેજીંગ ડાયરેકટર શાહમીના હુસેનના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી જૂનાગઢ ખાતે બેઠક યોજવામાં આવી હતી. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા દિનકર યોજના સાથે ગીરનાર રોપ-વેનું ઈ-લોન્ચીંગ કરવામાં આવશે. આ બંને કાર્યક્રમ જૂનાગઢ ખાતે મુખ્યમંત્રીના વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં
યોજાશે. આ કાર્યક્રમના સુચારૂ આયોજન માટે જૂનાગઢ જીલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, કમિશ્નર તુષાર સુમેરા, જૂનાગઢ જીલ્લા વિકાસ અધિકારી પ્રવિણ ચૌધરી સહિતના જીલ્લા વહીવટીતંત્રના ટોચના અધિકારીઓ સાથે સમીક્ષા કરવામાં આવી હતી. ટુરીઝમ કોર્પોરેશનના મેનેજીંગ ડિરેકટર જેનુ દિવાન, પીજીવીસીએલના એમ.ડી. શ્રધ્ધા દીવેટીયાની ઉપસ્થિતિમાં યોજાયેલ બેઠકમાં આરોગ્ય વિભાગના માપદંડોના પાલન માટે લેવાની તકેદારી અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત બહારથી આવનાર લોકોની બેઠક વ્યવસ્થા, વાહન પાર્કિંગ વ્યવસ્થા સહિત સ્થળ ઉપર જરૂરી વ્યવસ્થાઓ કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!