રોપ-વેના ઉદઘાટન સમયે જ મુખ્યમંત્રીના હસ્તે દુકાનોનાં દસ્તાવેજ આપવા ડોળી મંડળની માંગણી

0

ગિરનાર રોપ-વેના ઉદઘાટન સમયે જ દુકાનોના દસ્તાવેજ કરી મુખ્યમંત્રીના હસ્તે એનાયત કરવા ડોળી એસોસીએશન દ્વારા માંગ કરાઈ છે. આ અંગે ગિરનાર ડોળી એસોસીએશનના પ્રમુખ રમેશભાઈ બાવળીયાએ જીલ્લા કલેકટરને સંબોધીને આવેદન આપ્યું છે. આવેદનમાં જણાવાયું છે કે રોપ-વે શરૂ થવા જઈ રહયો છે તેનો અમને આનંદ છે. પરંતુ અમારી રોજીરોટીનો પણ પ્રશ્ન છે. હાલ ભવનાથ ખાતે દુકાનો ફાળવવામાં આવી છે. ત્યારે ર૪ ઓકટોબરે રોપ-વેના ઉદઘાટન માટે આવનાર મુખ્યમંત્રીના હસ્તે ડોળી ધારકોને દુકાનોના દસ્તાવેજ કરી આપવામાં આવે તેવી માંગ છે. આ બાબતે સત્વરે યોગ્ય કરવા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!