જૂનાગઢમાં ગાંધીગ્રામ ગરબી મંડળ ખાતે મહાનુભાવોના હસ્તે માતાજીની આરતી યોજાઈ

0


જૂનાગઢ શહેરમાં આવેલા ગાંધીગ્રામ વિસ્તારમાં ગાંધીગ્રામ ગરબી મંડળ દ્વારા નવરાત્રીના પાવનકારી પર્વ પ્રસંગે આ વર્ષે સરકારની ગાઈડ લાઈન મુજબજ શકિત ઉપાસનાનાં આ પર્વને ઉજવવામાં આવી રહેલ છે. અને માતાજીની પ્રાર્થના અને આરતી સાથે આરાધના કરવામાં આવી રહેલ છે. ગઈકાલે ગાંધીગ્રામ ગરબી મંડળ ખાતે માતાજીની આરતીમાં ખાસ જૂનાગઢ ડિવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, મહાનગરપાલિકાના ડે.કમિશ્નર જે.એન. લીખીયા, સ્ટેન્ડીંગ કમિટીના પુર્વ ચેરમેન અરવીંદભાઈ ભલાણી, જૂનાગઢ ટૂડેના તંત્રી કૃષ્ણકાંત રૂપારેલીયા, સર્કિટ હાઉસનાં મેનેજર પ્રફુલભાઈ જાેષી, શહેર ભાજપ મંત્રી ભરતભાઈ બાલસ, યુવા ભાજપ મંત્રી મનનભાઈ અભાણી, એસઓજીનાં પીઆઈ ભાટી તેમજ એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌહાણ અને મહાનુભાવો ઉપસ્થિત રહયા હતાં અને આ તકે ગાંધીગ્રામ ગરબી મંડળનાં વીરાભાઈ મોરી અને કાર્યકર્તાઓ દ્વારા મહાનુભાવોનું યથોચિત સન્માન અને સાથે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!