જીએસટીના અમલનાં સવા ત્રણ વર્ષ પછી પણ નેટવર્કના ધાંધીયા, વેપારીઓ હેરાન

0

જીએસટીની અમલવારીમાં સવા ત્રણ વર્ષ વિતી ગયા હોવા છતાં પણ જીએસટી નેટવર્કના ધાંધીયાથી વેપારીઓ હેરાન થઈ રહ્યા છે. જરૂરી કામકાજ નિયત સમયમાં ન થઈ શકતાં વેપારીઓને ખોટી રીતે દંડ ભરવો પડે છે. વારંવાર ટીવટર ઉપર જીએસટી પોર્ટલના ધાંધીયા અંગે ફરિયાદ કરવા છતાં ખરાઈ કરાતી નથી. જયારે ફરિયાદ કરાય ત્યારે જ ટેક્ષ પ્રોફેશ્નલની કચેરીએ સરકારના જવાબદાર અધિકારી જઈ તેની હાજરીમાં જ ટેક્ષ પ્રોફેશ્નલ રીટર્ન ભરવાનો પ્રયાસ કરે તે સમયે જાે જીએસટીનું પોર્ટલ તદ્દન ધીમું ચાલે, ન ચાલે તો સરકારે વેપારીઓની ફરિયાદ સ્વીકારી અને રીટર્નની સમય મર્યાદા લંબાવવી જાેઈએ તેવી માંગણી જૂનાગઢ ટેક્ષેશન એડવાઈઝર્સ એસોસીએશને કરેલ છે. અત્રે નોંધનીય છે કે
તા. ૧૭-૧૦-ર૦ર૦ બાદ જીએસટી પોર્ટલ યોગ્ય રીતે ચાલ્યું ન હોય રીટર્નની મુદત લંબાવી વેપારીઓને દંડ, વ્યાજ ભરવામાંથી મુક્તિ આપવા સરકાર જાહેરાત કરે તેવી ટેક્ષેશન એડવાઈઝર્સ એસો.ના સભ્યોએ માંગણી કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!