દેશભરમાં ૧૩મી નવેમ્બરે કાળી ચૌદશની શાનદાર ઉજવણી થશે

0

સદીઓથી કાળી ચૌદશની ગેરમાન્યતા, ગેરપરંપરા, જાતજાતની માન્યતાઓ, ક્રિયાકાંડો, કુરિવાજાે, ભૂત,પ્રેત, પિશાચ, મેલીવિદ્યા, આસુરી શક્તિ, અદ્રશ્ય શક્તિ વગેરેની સાધના કરી પ્રસન્ન કરવા જાતજાતના વિધિ-વિધાનો, નિવારણના હોમ-હવન, મંત્ર-તંત્ર, સાધના, ઉપાસના, મેલીવિદ્યાની સ્મશાનમાં લેતી-દેતી, આપ-લે, ભારે દિવસ, ખોફનાક વાતો પ્રવર્તે છે તેનું ખંડન કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરી ૧૯૯રથી જાગૃતિ કેળવવા રાજયમાં યજમાન પદે આયોજન કરી લોકોને વાસ્તવિક સમજ આપવા સ્મશાનમાં અવનવા કાર્યક્રમો યોજી દ્રઢ મનોબળ કરવા વર્ષો જુની માન્યતાઓનું ખંડન કરી સામાજિક ચેતનાનું કાર્ય અવિરત ર૭ વર્ષથી કરે છે. લોકો સ્વયં જાગૃત થઈ પોતાના ગામનાં સ્મશાનમાં આયોજન કરે તે માટે અપીલ કરવામાં આવી છે. તેના ભાગરૂપે તા. ૧૩-૧૧-ર૦ર૦ના રાત્રે ૧૧ કલાકથી સ્મશાન કે ઈચ્છાનુસાર કાળી ચૌદશની ગેરમાન્યતાના ખંડન કાર્યક્રમો યોજવા લોકોને જાથાએ અપીલ કરી છે. જાથાનો રાજયકક્ષાનો કાર્યક્રમ જે ગામમાં યોજાશે ત્યાંના સ્મશાન ખાતે ભૂતપ્રેતનું સરઘસ, મેલીવિદ્યાની નનામી, સ્મશાનના ખાટલા ઉપર ચાર ચોકમાં એકઠા કરેલા ભજીયા અને વડા આરોગવાનો તથા જાગૃતિ પત્રિકા વિતરણ વગેરે કાર્યક્રમ યોજવાના છે. જાથાના હોદ્દેદારો પ્રોત્સાહન આપવા અનુકુળ સ્થળે હાજરી આપશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!