જનતાના દુઃખે દુઃખી, સુખે સુખી રહેનાર કેશુભાઈ પટેલનું ગુજરાત પ્રત્યેનું યોગદાન અમૂલ્ય છે : મનોજ રાઠોડ

0

ગુજરાતના પનોતાપુત્ર, ખેડૂત અને જનતાના દુઃખે દુઃખી અને સુખે સુખી રહેનાર રાજ્યના દસમા મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે ૯૩ વર્ષની વયે અંતિમ શ્વાસ લેતાં તેમની ખોટ ક્યારેય ભૂલાઈ શકશે નહીં. આખા દેશમાંથી ‘બાપાને શ્રદ્ધાંજલિ આપવામાં આવી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ મંત્રી અને લોધીકા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મનોજ રાઠોડે પણ કેશુભાઈ પટેલને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવતાં જણાવ્યું કે રાજકારણની સાથે સાથે રાજ્ય માટે પણ ‘બાપાએ આપેલું યોગદાન અમૂલ્ય છે. તેમણે અનેક એવી યોજનાઓ આપી છે જેનો વર્ષોથી જનતા લાભ લઈને ધન્યતા અનુભવી રહી છે. આ યોજનાઓ કેશુભાઈ પટેલની જ દેન છે જેને લોકો હંમેશા યાદ રાખશે. મનોજ રાઠોડે જણાવ્યું કે ગુજરાતમાં ગોકુળગ્રામ યોજના, કુંવરબાઈનું મામેરૂં યોજના, જ્યોતિગ્રામ યોજના, પાથરણાની યોજના, ખેત તલાવડી સિંચાઈ પદ્ધતિનો વિકાસ સહિતની અનેક યોજનાઓ કેશુભાઈ પટેલ થકી જ અમલી બની હતી. સાથે સાથે તેમણે આ યોજનાઓ ઘડી લીધા બાદ તેનો સચોટ અમલ થાય તેના ઉપર પણ પૂરતો ભાર મુક્યો હતો. આ ઉપરાંત અત્યારે ઈન્ફોર્મેશન ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાત હરણફાળ ભરી રહ્યું છે તે પણ કેશુભાઈ પટેલને જ આભારી છે કેમ કે આ અંગેની નીતિ પણ કેશુબાપાએ જ ગુજરાતમાં અમલી બનાવી હતી. સ્વ.કેશુભાઈ પટેલ ખેડૂત અને મધ્યમવર્ગની હંમેશા પડખે રહેવામાં માનતા હતા અને આખું જીવન તેમણે લોકોની વચ્ચે રહીને જ પસાર કર્યું છે. મનોજ રાઠોડે ભારપૂર્વક જણાવ્યું કે ગુજરાતમાં વસવાટ કરતાં એક સમાજનું નામ ‘તોછડાઈ સાથે લેવામાં આવી રહ્યું હોવાથી બાપાને તે બિલકુલ પસંદ પડ્યું નહોતું અને તેના કારણે જ તેમણે આ સમાજને ‘સન્માનજનક નામ આપ્યું હતું અને આજે તે સમાજ આ નામ સાથે જ જીવન વીતાવી રહ્યો છે. સાથે સાથે આ સમાજમાં ક્રાઈમરેટ પણ બિલાડીના ટોપની માફક વધી રહ્યો હોવાથી ‘બાપાએ પહેલાં તેને કાબૂમાં કર્યો હતો અને ત્યારપછી આ સમાજ માટે ‘પાથરણા યોજના લાવ્યા હતા. ખાસ કરીને એ સમયે ગુજરાતમાં ક્રાઈમરેટ ફૂલ્યોફાલ્યો રહેતો હોવાને કારણે પ્રજામાં ડર વ્યાપી જવા પામ્યો હતો પરંતુ કેશુભાઈ પટેલે નીડરતાપૂર્વક ચમરબંધીઓને ભોંભીતર કરી દઈ ગુજરાતના ક્રાઈમરેટને એક ઝાટકે નીચો લાવી દીધો હતો.
કેશુભાઈ પટેલ રાજ્યને શ્રેષ્ઠ બનાવવાના સ્વપ્નદૃષ્ટા હતા અને તેમણે કરેલા ખંતપૂર્વક કાર્યોથી જ અત્યારે રાજ્યનું નામ માન સાથે લેવામાં આવી રહ્યું છે. કેશુભાઈ પટેલ હંમેશા એક એવા કાર્યકર, નેતા, વડા રહ્યા છે જેમણે પોતાના મન ઉપર ક્યારેય સત્તાના ‘કેફને હાવિ થવા દેવાને બદલે જમીન સાથે જોડાયેલા રહીને કામ કરવામાં માન્યું છે. તેઓ નાના કાર્યકરથી માંડીને મોટા નેતાને સમાન જ ગણતાં હતા અને આ જ કારણથી અત્યારે જૂની પેઢીના રાજકારણીઓની સાથે સાથે નવી પેઢીના ‘નવલોહિયા રાજકારણીઓ પણ ‘બાપાને ભૂલી શકે તેમ નથી. ભગવાન દિવંગત કેશુભાઈ પટેલના આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના મનોજ રાઠોડ૪ પ્રદેશ કોંગ્રેસ મંત્રી, પૂર્વ પ્રમુખ (તાલુકા પંચાયત-લોધીકા)એ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!