માણાવદરના રાજા પરીવારે જૂનાગઢની સાપ્રંત એજયુ. એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની મુલાકાત લીધી

0

જૂનાગઢની વિકલાંગો તથા મંદબુધ્ધિના બાળકોની સંસ્થા સાપ્રંત એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટની સંસ્થાના કાયમી ડોનર માણાવદરનાં રાજા પરીવારે સહકુટુંબ સૌજન્ય મુલાકાત લીધી હતી. તેઓ બધા બાળકોને સ્નેહભર મળ્યા હતા અને દિપાવલીની ખાસ શૂભેચ્છા આપી હતી. જેના પ્રત્યુતરમાં રાજા પરીવારના મોભી ભુપતભાઈ સવજીભાઈ રાજા ઉર્ફે ભુવા આતા ભોલાભાઈ રાજા તથા તેમના કુટુંબીજનોને મંદબુધ્ધિના બાળકોએ બનાવેલ ખાસ દિવડાની ભેટ સંસ્થા તરફથી આપવામાં આવી હતી અને મુલાકાત બદલ રાજા પરીવારનો આભાર માનવામાં આવેલ હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!