સોમનાથથી કોડીનાર સુધીનો નેશનલ હાઈવે તંત્રનાં વાંકે બની રહ્યો છે ગોઝારો

0

સોમનાથથી કોડીનાર સુધીનો નેશનલ હાઈવે અતિ બિસ્મારા બની ગયેલ છે સતત ધૂળની ડમરીઓ અને ઉડા ખાડા ખબડનાં કારણે અનેક અકસ્માતોની હારમાળા સર્જાતા ઘણા રાહદારી પોતાની અમૂલ્ય જીંદગી ખોય બેસલ છે. ત્યારે તંત્રનાં વાંકે સોમનાથથી કોડીનારનો નેશનલ હાઈવે ગોઝારો બની રહ્યો છે જેનાં કારણે વેરાવળ, સુત્રાપાડા અને કોડીનાર તાલુકાનાં રાહદારીઓમાં ઉગ્ર રોષ ફાટી નીકળેલ છે. ત્યારે ગીર-સોમનાથ જીલ્લા કોંગ્રેસ અગ્રણી ભગુભાઈ વાળા દ્વારા પ્રોજેકટ ડાયરેકટર નેશનલ ઓથોરિટી ગીર-સોમનાથને રૂબરૂ મળી લેખીત રજૂઆત સાથે સત્વરે ફૂલ ટ્રીટમેન્ટ સાથે મેઈનટેનન્સનું કામ શરૂ કરવા તાકીદ કરી દશ દિવસમાં યોગ્ય કરવામાં નહી આવે તો ત્રણ તાલુકાનાં લોકો દ્વારા રસ્તા રોકો આંદોલનની ચીમકી આપી અને આ સંબંધે જે કાંઈ જાન-માલની નુકશાની થશે તો તેની સઘળી જવાબદારી નેશનલ ઓથોરિટીની રહેશે તેમ લેખીત રજૂઆતમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!