દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોનામાં રેકોર્ડ રૂપ રાહત : ચાર નવા દર્દીઓ સામે ૨૫ ડિસ્ચાર્જ થયા

0

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં અગાઉ જીવલેણ સાબીત થયેલો કોરોના રોગ હવે જાણે ટાઢો પડ્યો હોય તેમ દિવસે દિવસે સતત ઘટતા નવા દર્દીઓ વચ્ચે સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યામાં પણ ઉછાળો જોવા મળી રહ્યો છે. દેવભૂમિ દ્વારકા જીલ્લામાં સોમવારે જીલ્લાના તમામ ચાર તાલુકાઓમાં એક એક નવા દર્દીઓ નોંધાયા છે. આ નવા ચાર પોઝિટિવ કેસ સામે જીલ્લામાં ઐતિહાસિક અને નોંધપાત્ર કહી શકાય તેટલા ભાણવડમાં ૧૧, ખંભાળિયામાં ૭, દ્વારકામાં ૪ તથા કલ્યાણપુરમાં ૩ મળી કુલ ૨૫ દર્દીઓ સ્વસ્થ થતાં તેઓને રોગમુક્ત જાહેર કરાયા છે. હવે જિલ્લામાં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા માત્ર ૨૬ જ રહી હોવાનું જાહેર થયું છે. આ વચ્ચે કોરોના દરમ્યાન નોન કોવિડ ૫૭ તથા કોરોનાના કારણે ૮ મળી કુલ ૬૫ વ્યક્તિઓના મૃત્યું નિપજ્યા હોવાનું પણ જાહેર થયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!