જૂનાગઢમાં શ્રી કેશવ – કો- ઓપ. ક્રેડીટ સોસાયટી જૂનાગઢ શાખાનો વાર્ષિક સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

0

શ્રી કેશવ કો-ઓપ ક્રેડીટ સોસા.લી. જૂનાગઢ શાખાનો વાર્ષિક સ્નેહ મિલન તથા સહકાર સપ્તાહ તથા સહકારી અગ્રણીઓનો વિશેષ સન્માન કાર્યક્રમ તા.૭-૧ર-ર૦ર૦ને ગુરૂવારના રોજ સાંજે પ-૩૦ કલાકે રાખવામાં આવેલ હતો. જેમાં કિરીટભાઈ પટેલ (ચેરમેન માર્કેટીંગ યાર્ડ જૂનાગઢ) તથા હરેશભાઈ ગજેરા (વા.ચેરમેન માર્કેટીંગ યાર્ડ) જૂનાગઢ તથા દિનેશભાઈ ખટારીયા (એમ.ડી. જૂનાગઢ જીલ્લા સહકારી બેંક) તથા મનુભાઈ ખુંટી (વા.ચેરમેન જૂનાગઢ જીલ્લા સહકારી બેંક) તથા કાર્યક્રમના મુખ્ય મહેમાન વી.એમ. પંડીત નિવૃત અધિક રજી. (અપીલ) સહકારી મંડળીઓ ગુજરાત વિગેરે સહકારી અગ્રણીઓ હાજર રહયા હતા. તથા તેઓનું સન્માન કરવામાં આવેલ હતું. તેમજ કેશવ ક્રેડીટ સોસા.ના ચેરમેન છગનભાઈ પેથાણી તથા એમડી નરેન્દ્રભાઈ ભુત તથા (વા.ચેરમેન હરજીવનભાઈ ઢોલરીયા તથા સોસાયટીના માર્ગદર્શક વિનોદભાઈ બરોચીયા તથા શાખાના સંયોજક બિપીનભાઈ મશરૂ, સહસંયોજક કિરીટભાઈ રૂપારેલીયા તથા શાખા વિકાસ સમિતીના સદસ્યો વિગેરેએ ખાસ હાજરી આપેલ હતી. કાર્યક્રમનું સંચાલન સર્કલ ઓફીસર દિલીપસિંહ ગોહીલે સંભાળેલ હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!