જૂનાગઢ : અંધ, અપંગ ગાયોની ગૌશાળાના લાભાર્થે બોલબાલા ટ્રસ્ટ દ્વારા શુધ્ધ ઘી ના અડદીયા વિતરણનું આયોજન

0

વાંકાનેરની અંધ, અપંગ ગાયોના લાભાર્થે બોલબાલા ટ્રસ્ટ, રાજકોટ, જૂનાગઢ શાખાના ઉપક્રમે શુધ્ધ ગાયના ઘી અને ડ્રાયફ્રુટયુક્ત અડદીયાનું પ્રતિ કલોના રૂા. ૩૦૦ના ભાવથી વિતરણ કરવામાં આવશે. આ અંગેની નોંધણી તા. ૧૪-૧ર-ર૦ર૦ સુધી ટ્રસ્ટના મીરાનગર, ગોવર્ધનપાર્ક, જૂનાગઢ ખાતેના કાર્યાલયમાં કરાવવાની રહેશે. અડદીયાની ડીલીવરી તા. ર૦-૧ર-ર૦ર૦ના રોજ સવારના ૧૦ થી સાંજના પ.૩૦ કલાક સુધીમાં કરવામાં આવશે જેનો લાભ લેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવેલ છે. આ અંગેની વધુ માહિતી માટે મો. નં. ૮૮૬૬૦ ૯૯૬૬૦ ઉપર સંપર્ક કરવા બોલબાલા ટ્રસ્ટના વ્યવસ્થાપક જે. એમ. ઝાલાવાડીયાની યાદીમાં જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!