ઉના : ભાજપની મધ્યસ્થીથી રાઠોડ અને બાંભણીયા પરિવાર વચ્ચે થયું સમાધાન

0

ઉના તાલુકા કોળી સમાજના મોભી કે.સી.રાઠોડ પરિવાર અને સ્વ. ભગાભાઈ બાંભણીયા (મધુવન પરિવાર) વર્ષોથી અગમ્ય કારણોસર એકબીજાથી દૂર રહ્યા હતા. કોળી સમાજના સાંસદ રાજેશભાઈ ચુડાસમા અને ગિર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમાર સહિત ભાજપ પરિવારની ઉપસ્થિતિમાં તાલાળા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ અને લોહાણા સમાજના અગ્રણી અમિત ઉનડકટ, રઘુવંશી આગેવાન કૌશિક સુબાની જહેમતથી કે. સી. રાઠોડ પરિવાર અને બાંભણીયા પરિવારનું સુખદ સમાધાન થયેલ છે. ટૂંક સમયમાં ચૂંટણીઓ આવી રહેલ છે ત્યારે બંને પરિવારો વચ્ચે સમાધાન થતાં ઉના તાલુકા કોંગ્રેસમાં સોપો પડી ગયો છે અને ઉના શહેરના વેપારીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!