શિરડીથી અખંડ જ્યોત આવતા માંગરોળ સાંઈનાથ મંદિરમાં સ્થાપિત કરાઈ

0

જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં સાઈમંદિરમાં શિરડીથી અખંડ જ્યોત આવતા ભાવિકોમાં ઉત્સાહ ફેલાયો છે. જયોતનું ઉત્સાહપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું હતું. માંગરોળ બાયપાસ પાસે આવેલ સાંઈબાબાના મંદિરના પુજારી ભરતભાઇ પુરોહિત (ઉર્ફે સાંઈરામ) તથા કૈલાશભાઇ ચામુંડીયા તા.૨૧/૧૨/૨૦ના રોજ માંગરોળથી સવારે ૪ વાગ્યે બાઇક લઈને સુરત ગયેલા હતા ત્યાંથી અજયભાઈ પુરોહિતને લઇને તા.૨૩/૧૨/૨૦ના શિરડી પહોંચ્યા હતા અને ત્યાંથી તા.૨૪/૧૨/૨૦ના રોજ મંદિરેથી સાયકલ સાથે માંગરોળ આવવા નીકળ્યા હતા. અખંડ જ્યોત લઇને સાઈકલ મારફતે શિરડીથી માંગરોળ તા.૩૧/૧૨/૨૦ને ગુરૂવારના સાંજે પરત ફરતા ભક્તોજનોએ ઢોલ-નગારા તેમજ અબીલ ગુલાલ અને ફુલહાર તેમજ સાંઈ બાબાના ચરણ પખાળી અને ચરણ સ્પર્શ કરી ભક્તોએ તેઓના સામૈયા કર્યા હતા અને તેઓનું સ્વાગત કર્યું હતું. આ અખંડ જ્યોત માંગરોળ સાંઈબાબાના મંદિરમાં સ્થાપિત કરી ત્યારે સૌ ભક્તોએ સાંઈબાબાનો જય જય કાર બોલાવ્યા હતા. આ દરમ્યાન મહારાષ્ટ્રમાં તેમજ ગુજરાતમાં અનેક જગ્યાએ સ્વાગત અને સન્માન કરવામાં આવ્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!