મોઢેરા સૂર્યમંદિરના બગીચામાંથી ચાર મૃત કાગડાં મળી આવતાં તપાસાર્થે ભોપાલ મોકલાયા

0

દેશભરમાં બર્ડ ફ્લૂના કારણે સેંકડો પક્ષીઓના મોત નીપજ્યા છે. ત્યારે મોઢેરાના સૂર્ય મંદિરના બગીચામાંથી ચાર કાગડા મૃત અવસ્થામાં મળી આવતા સ્થાનિકોમાં ફફડાટ ફેલાયો હતો. જેને પગલેે તરત જ પશુપાલન વિભાગને ફોન કરીને આ અંગે જાણ કરાઈ હતી. કાગડાના મોત એવિયન ફ્લૂના કારણે થયા છે કે નહીં તે તપાસવા માટે તેમના મૃતદેહોને ભોપાલની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. વિભાગે થોળ પક્ષી અભયારણ્યમાંથી સ્થળાંતર કરીને આવેલા ૫૪ જેટલા પક્ષીઓના સેમ્પલ પણ લીધા હતા અને તેને ભોપાલની હાઈ સિક્યુરિટી એનિમલ ડિસીસ લેબોરેટરીમાં મોકલી આપ્યા હતા. મહેસાણા પશુપાલન વિભાગ અધિકારી ભરત દેસાઈએ જણાવ્યું હતું કે, એવિયન ફ્લૂના કેસમાં, મોટી સંખ્યામાં પક્ષીઓ અચાનક મરી જાય છે. આ કિસ્સામાં, અજાણ્યા કારણોસર માત્ર ચારના જ મોત થયા છે. તે એવિયન ઈન્ફ્લુએન્ઝાના કારણે થયું હોય તેમ લાગતું નથી. અમે વિગતવાર વિશ્લેષણ માટે મૃત કાગડાઓને ભોપાલની લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે, ‘સાવચેતીના ભાગરૂપે, પશુપાલન વિભાગે થોળમાંથી સ્થળાંતર કરીને આવેલા ૫૦ પક્ષીઓની ચરક અને લોહી સહિતના સેમ્પલ લીધા હતા અને તેને વિશ્લેષણ માટે ભોપાલ મોકલ્યા હતા. આ દરમ્યાન, માણાવદરના બાંટવા ડેમ પાસે બીમાર હાલતમાં મળી આવેલ વધુ બે ટીટોડીના મોત નીપજ્યા છે. તેના સેમ્પલને પણ ભોપાલ મોકલવામાં આવ્યા છે. તાપીમાં, ઉચ્છલ તાલુકાના ગામડાઓમાં છેલ્લા કેટલાક દિવસોથી મોટી સંખ્યામાં મરઘાના મોત થયા હોવાની જાણ થતાં પશુપાલન વિભાગે કાર્યવાહી કરી હતી. ‘અન્ય રાજ્યોમાંથી બર્ડ ફ્લૂના કેસ નોંધાયા હોવાની સાથે, વિભાગે સેમ્પલ લીધા હતા અને તેને તપાસ માટે ભોપાલ મોકલ્યા હતા, તેમ અધિકારીઓએ વધુમાં કહ્યું હતુ

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!