જૂનાગઢમાંથી શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણનિધી સમર્પણ અભિયાનનો પ્રારંભ

0

શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર અંતર્ગત શ્રીરામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ મહાઅભિયાનની શરૂઆત જૂનાગઢ શીશુમંદિર ખાતે કરવામાં આવી હતી. પૂજ્ય ઇન્દ્રભારતીબાપુ ઉપસ્થિત રહ્યા હતા. આ અભિયાનની શરૂઆતમાં જીતુભાઇ ભીંડી તરફથી ૧,૫૧,૦૦૦, સંજયભાઈ કોરડીયા તરફથી ૧,૧૧,૧૫૧, મોહનભાઇ પટેલ અને ધીરૂભાઈ ગોહેલ તરફથી સંયુકત રીતે ૧,૨૫,૦૦૦ અર્પણ કરેલ છે. આ તકે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના, વિશ્વ હિન્દુ પરિષદના, ભારતીય જનતા પાર્ટીના, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના, ભારત વિકાસ પરિષદના, ભારતીય કિસાન સંઘના, ભારતીય મજદૂર સંઘના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના તરફથી પણ રાશિ અર્પણ થયેલ હતી. આ તકે જ્ઞાતિ અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં મહિલાઓની પણ ઉપસ્થિતિ રહી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!