જેસીઆઈ જૂનાગઢ દ્વારા અલગ-અલગ સંસ્થામાં મકરસંક્રાંતિની ઉજવણી કરાઈ

0

જેસીઆઈ જૂનાગઢ દ્વારા જૂનાગઢની શિશુમંગલ સંસ્થા, અંધ કન્યા છાત્રાલયની સંસ્થા, મયારામ આશ્રમ, મહિલા આશ્રય સંસ્થા, ઝુંપડપટ્ટી વિસ્તારમાં મકરસંક્રાંતિની ઉજવણી કરી હતી. જેસીઆઈ જૂનાગઢનાં મેમ્બર દ્વારા પતંગ, દોરા, તલનાં લાડુ, મમરાનાં લાડુ, તલની ચીક્કી, દાળીયાની ચીક્કી, ટોસ પટ્ટી, મમરા, ગાંઠિયાનાં પેકેટ, ચોકલેટ વગેરેનું વિતરણ કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં પ્રમુખ જયદીપ ધોળકિયા, સેક્રેટરી ચેતન સાવલિયા, વિરલ કડેચા, મેન્ટર અરવિંદભાઈ સોની, ડાયરેકટર કિશોરભાઈ ચોટલીયા, ચિરાગ કડેચા, જયેશ કણસાગરા, વિજય ચાવડા, ડો. જય રાણીંગા અને જેસીઆઈ જૂનાગઢ પરિવારનાં મેમ્બર ઉપસ્થિત રહ્યા હતા. આ પૂર્ણ કાર્યમાં જૂનાગઢ મહિલા પોલીસ ચોકીનાં પીઆઈ જે.પી. વરિયા, પીએસઆઈ વી.કેે. ઉંજીયા, સેજલબેન, ગલચરબેને ઉપસ્થિત રહી બાળકો અને મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!