જૂનાગઢ પોલીસ દ્વારા વિનામૂલ્યે માસ્ક વિતરણ, લોકજાગૃતિની કામગીરી કરાઈ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર, જૂનાગઢ પોલીસ અધિક્ષક રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા હાલમાં લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવેલ હોઈ, જે અંગે જૂનાગઢ જિલ્લા કલેકટર સૌરભ પારધી દ્વારા જાહેરનામું બહાર પાડી, માસ્ક ફરજીયાત પહેરવા, સોશ્યલ ડિસ્ટન્સ રાખવા અંગે જાહેરનામાનો ભંગ કરતા ઈસમો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. આ જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોઈ, લોકોને છૂટછાટ આપવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના ધ્યાને આવેલ માહિતી મુજબ સામાન્ય રીતે મોટાભાગના લોકો માસ્ક પહેરે છે, પરંતુ અમૂક લોકો, રીક્ષા ચાલકો તથા પેસેન્જરો પોતે માસ્ક નહીં પહેરતા હોવાની તથા વધુ માસ્ક ગળે લટકાડી રાખી, જ્યારે પોલીસ પસાર થાય ત્યારે મોઢા ઉપર માસ્ક ચઢાવતા હોવાની મળેલ માહિતી આધારે લોકોમાં જાગૃતિ લાવવા કરવામાં આવેલ સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા જૂનાગઢ શહેર એ, બી, સી, ભવનાથ પોલીસ સ્ટેશનનાના પોલીસ અધિકારીઓ તથા સ્ટાફની અલગ અલગ ટીમો દ્વારા જૂનાગઢ શહેરમાં આવેલ જુદા જુદા પોઇન્ટ ઉપર લોકો તથા વાહન ચાલકોને એકત્રિત કરી, લોકોને બ્રિફિંગ કરવામાં આવેલ હતું. જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી, એ ડિવિઝનના ઇન્ચાર્જ પીઆઈ વિધિ ઉંજીયા, સી ડિવિઝનના પીએસઆઇ પી.જે.બોદર સહિતના અધિકારીઓની જુદી જુદી ટીમો બનાવી, સોશ્યલ ડિસ્ટન્સમાં તમામ પોઇન્ટ ઉપર લોકોને ભેગા કરી, હાલમાં દંડની રકમ રૂા. ૧,૦૦૦ કરવામાં આવેલ હોય, લોકોની આવક એટલી ન હોય ત્યારે પોલીસનો હેતુ વધુ દંડ વસુલ કરવાનો નથી પણ લોકોને માસ્ક પહેરાવવાનો જ છે, તેવું સમજાવી, લોકોને દંડ ભરવો ભારે પડશે. જેથી માસ્ક અવશ્ય પહેરવા તાકીદ કરવામાં આવેલ હતી. બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.બી.સોલંકી તથા સ્ટાફ દ્વારા ગાંધી ચોક, રેલવે સ્ટેશન ચોક, મજેવડી ગેઇટ, સુખનાથ ચોક, કાળવા ચોક, જેવા અનેક વિસ્તારોમાં રીક્ષા ચાલકો, વાહન ચાલકો, ફ્રુટની લારીઓ તથા અન્ય લારીઓવાળા તેમજ મજૂરો અને ફૂટપાથ ઉપર વસવાટ કરતા ગરીબ માણસોને માસ્ક પહેરવાનું મહત્વ સમજાવી, મફતમાં માસ્કનું વિતરણ કરવામાં આવેલ હતું. ઉપરાંત, પેસેન્જરો સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને બેસે, પેસેન્જરો પણ અવશ્ય માસ્ક પહેરે, રીક્ષા સ્ટેન્ડ ઉપર પણ બધા રીક્ષા ચાલકો ભેગા થઈને બેસવાના બદલે સોશ્યલ ડિસ્ટન્સ જાળવીને બેસે અથવા ઉભા રહે, રીક્ષામાં સેનેટાઇઝર રાખે અને તેનો પોતાના માટે તેમજ પેસેન્જરો માટે ઉપયોગ કરે એવી પ્રકારે સુચનાઓ આપી, સામાન્ય નાગરિકો, રિક્ષા ચાલકો તથા વાહન ચાલકોમાં જન જાગૃતિ લાવવા નવતર પ્રયોગ કરવામાં આવેલ છે. ઉપરાંત રીક્ષાચાલકો તથા વાહન ચાલકોને મફતમાં માસ્ક વિતરણ પણ કરવામાં આવેલ હતું.
લોકો દ્વારા પણ નિયમોના પાલન કરવા તેમજ પેસેન્જર વાહનચાલકો દ્વારા પણ માસ્ક વગરના પેસેન્જરને પોતાના વાહનમાં બેસાડવામાં જ નહીં આવે, તેવી ખાત્રી આપી હતી. હાલના સંજાેગોમાં કોરાના વાયરસના સંક્રમણ અટકાવવા જૂનાગઢ પોલીસ દ્વારા લોકોના હિતમાં ગાંધીગીરી કરી, મફતમાં માસ્ક પહેરાવી, જાગૃતિ લાવવાના નવતર પ્રયોગથી જૂનાગઢ પોલીસની સર્વત્ર સરાહના થઈ રહી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!