જૂનાગઢમાં પોલીયોની રસીનું ઈન્જેકશન લીધા બાદ દોઢ માસની બાળકીનું મોત

0

જૂનાગઢમાં પોલીયોની રસીનું ઈન્જેકશન લીધા બાદ દોઢ માસની બાળકીનું મોત નિપજયું હતું.
આ બનાવમાં પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જૂનાગઢનાં દોલતપરા શાંતેશ્વર મંદિર પાસે રહેતા જયદીપભાઈ કિશોરભાઈ મકવાણાની દોઢ માસની પુત્રી વિશ્વાને પોલીયોની રસીનું ઈન્જેકશન આપતાં કોઈપણ અસર થતાં જૂનાગઢ સરકારી હોસ્પીટલ ખાતે સારવારમાં લઈ ગયેલ જયાં ફરજ ઉપરનાં ડોકટરે તેને તપાસી મરણ ગયાનું જાહેર કર્યુ હતું. આ બનાવમાં એ ડીવીઝનનાં પીએસઆઈ વી.આર. ચાવડાએ ધોરણસરની કાર્યવાહી કરી હતી.
ઝેરી દવા પીતા આધેડનું મોત
જૂનાગઢમાં ખામધ્રોળ રોડ ઉપર શ્યામલ પાર્કમાં રહેતા પંકજભાઈ મનસુખભાઈ સિરોયા (ઉ.વ. ૪૦) પોતાના ઘરે એકલા હોય અને કોઈપણ કારણોસર ઝેરી દવા પી લેતાં તેમનું મોત નિપજયું હતું. આ બનાવમાં તાલુકા પોલીસનાં હે.કો. પી.સી. ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!