દ્વારકાનાં ભડકેશ્વર મંદિરે છપ્પન ભોગ દર્શન મનોરથ યોજાશે

0

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે સમુદ્રની જળરાશી વચ્ચે ઘેરાયેલા ઐતિહાસિક શિવાલય શ્રી ભડકેશ્વર મહાદેવનાં મંદિરે આગામી તા.ર૬મી જાન્યુઆરીનાં દિવસે છપ્પન ભોગ અન્નકુટ ઉત્સવનાં દર્શન મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. તા.ર૬મીએ સાંજે પ.૦૦ કલાકે અન્નકુટ ઉત્સવ પ્રસંગે મહાઆરતી યોજાશે. ત્યારબાદ પ.૦૦ થી ૧૦ઃ૦૦ દરમ્યાન છપ્પન ભોગ મનોરથનાં દર્શન યોજાશે. સમગ્ર છપ્પન ભોગ મનોરથનાં દર્શનનો લાભ લેવા શહેરની ધર્મપ્રેમી જનતાને શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિરનાં પૂજારી સંગીતાબેન ધનરાજગીરી ગોસ્વામી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. છપપન ભોગ મનોરથમાં કોઈપણ ભકતોને સહયોગ આપવો હોય તો મંદિરનાં પૂજારીનો સંપર્ક કરવો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!