જૂનાગઢમાં વણિક સોશ્યલ ગૃપ દ્વારા વણિક નવનાથ મેરેજ બ્યુરોનો આજથી પ્રારંભ

0

વણિક સોશ્યલ ગૃપ દ્વારા જૂનાગઢમાં વણિક નવનાંતનાં મેરેજ બ્યુરોનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે. વણિક સમાજનાં ૧૯૯રથી સામાજીક કાર્ય કરતી સંસ્થા દ્વારા  છેલ્લા પાંચ વર્ષથી દાપંત્ય મેરેજ બ્યુરો વિનામૂલ્યે ચલાવવામાં આવે છે. વણિક નવનાતનાં યુવક-યુવતીઓને પોતાનાં પસંદગીના પાત્રો મળી શકે તેવા હેતુથી આ કામગીરી કરવામાં આવી રહી છે. અને અનેક યુવક-યુવતીઓને પસંદગીનાં પાત્રો મળ્યાં છે. લોકડાઉનનાં હિસાબે છેલ્લા આઠ માસથી ઓફિસ બંધ હતી. તે પુનઃ શરૂ કરવામાં આવી છે. રવિ દીપ કોમ્પલેક્ષ, ૧૭ ગ્રાઉન્ડ ફલોર, યુકો બેંકવાળી ગલી, એમજીરોડ જૂનાગઢ ખાતે શરૂ થઈ છે. દર શુક્રવારે સાંજે ૪ થી ૬ સંપર્ક કરી શકાશે. સંસ્થાનાં કાર્યકર્તાઓ કુશલભાઈ પારેખ, દમયંતીબેન રાજપરા, જમનાદાસભાઈ નાંદોલા, મુકેશભાઈ ધોળકીયા, અશ્વીનભાઈ શાહ, પ્રફુલભાઈ નરસાણા સેવા આપશે. આ મેરેજ બ્યુરોનો વધુને વધુ લાભ લેવા અપીલ કરવામાં આવી છે. વધુ વિગત માટે સંસ્થાનાં પ્રમુખ કુશલ એ. પારેખ ૯૮૯૮૩૧૮૦૪૮ અને અશ્વીનભાઈ શાહ ૮૮૪૯૩ર૪૩૧૯નો સંપર્ક સાધવા જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!