જામનગર – સોમનાથ રૂટની બસનાં કન્ડકટરની ફરજમાં રૂકાવટ કર્યાની ફરીયાદ

0

એસ.ટી. બસમાં ફરજ બજાવતા કન્ડકટરની ફરજમાં રૂકાવટ કરી ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ નોંધાતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. આ બનાવ અંગે પોલીસે આપેલી વિગત અનુસાર ભાલકા ખાતે રાધાકૃષ્ણ મંદિર હરભોલે સોસાયટી ખાતે રહેતા ચોપડા પુંજાભાઈ (ઉ.વ.૩૦)એ વેરાવળનાં મહમદ હુસેન બાપુમીંયા સામે નોંધાવેલી ફરીયાદમાં નોંધાવેલ છે કે, આ કામનાં આરોપી જામનગરથી સોમનાથ રૂટની બસમાં જઈ રહયા હોય આ બસમાં ફરીયાદી ચોપડા પુંજાભાઈ કન્ડકટરની ફરજ બજાવતા હોય તે દરમ્યાન આ બસમાં આરોપીએ બેસવા બાબતે બોલાચાલી કરી ગેરવર્તન કરી અને બિભત્સ શબ્દો કહી જાનથી મારી નાખવાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!