જૂનાગઢ જિલ્લામાં અપમૃત્યુનાં ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા

0

જૂનાગઢ જિલ્લામાં અપમૃત્યુના ચાર બનાવો પોલીસ દફતરે નોંધાયા છે જેમાં હેમતબેન મગનભાઈ વઘાસીયા (ઉ.વ. રર, રહે. લેરીયા, તા. વિસાવદર)એ કોઈ અગમ્ય કારણોસર એસીડ પી લેતાં તેનું સારવાર દરમ્યાન મૃત્યું થયું હતું. મણીબેન જાદવભાઈ ડોરબીયા (ઉ.વ. ૯૦, રહે. ઝાંઝરડા ગામ, જૂનાગઢ) પોતાના ઘરમાં રૂમમાં દીવાબત્તી કરવા દિવો કરતાં સાડીમાં દીવો પડી જતાં શરીરે દાઝી જતાં સારવાર દરમ્યાન મૃત્યું નીપજયું હતું. તેમજ બાબુભાઈ મોહનભાઈ પીપળીયા (રહે. ભક્તિનગર સર્કલ, નજીક, જિ. રાજકોટ) પરબધામ ખાતે દર્શનાર્થે આવતા હતા ત્યારે હાર્ટ એટેક આવતાં મૃત્યું થયું હતું. અપમૃત્યુના અન્ય એક બનાવમાં વર્ષાબેન બળદેવભાઈ વાણીયા (ઉ.વ. ૩૭, રહે. બરવાળા, તા. ભેસાણ)નું હાર્ટ એટેક આવતાં મૃત્યુ થયું હતું. અપમૃત્યુનાં બનાવો અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!