શહીદ દિવસ (ગાંધી નિર્વાણ દિવસ)

0

શહીદ દિવસે દેશવાસીઓ દેશ માટે કુરબાની આપનાર વિર શહીદોને યાદ કરતા હોય છે. સાથે આ દિવસે આપણે એ મહાપુરૂષોને પણ યાદ કરીએ છીએ જેમણે દેશને આઝાદ કરાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધું. આપણે દર વર્ષે અલગ-અલગ દિવસે શહીદ દિવસ મનાવીએ છીએ. તેમાંથી એક દિવસ ૩૦ જાન્યુઆરી પણ છે. આ તારીખે જ રાષ્ટ્રપીતા મહાત્મા ગાંધીની ગોળી મારી હત્યા કરી નાંખવામાં આવી હતી. દર વર્ષે આપણે મહાત્મા ગાંધીની સાથે-સાથે દેશ માટે પોતાનુ બલિદાન આપનાર શહીદોને પણ યાદ કરીએ છીએ. દર વર્ષે આ દિવસે રાષ્ટ્રપતિ, ઉપ-રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી, રક્ષામંત્રી અને ત્રણ સેનાના પ્રમુખ રાજઘાટ સ્થિત મહાત્મા ગાંધીની સમાધિ ઉપર તેમને શ્રદ્ધાંજલિ આપે છે. સાથે સેનાના જવાન આ સમયે મહાત્મા ગાંધીને શ્રધ્ધાંજલી આપતા તેમના માનમાં પોતાના હથિયાર નીચે મુકે છ. વિવિધ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશને ભારત સરકાર દ્વારા ૩૦ જાન્યુઆરીએ સવારે
૧૧ વાગ્યાના સુમારે ૨ મિનિટ માટે તમામ ગતિવિધિ બંધ રાખવા સૂચના આપવામાં આવે છે.
અહિંસા, ભાઈચારો, સત્ય જેવા સનાતન મુલ્યો માટે જીવન પર્યંત સંઘર્ષ કરનાર ગાંધી બાપુના જીવનમાંથી દેશ અને દુનિયામાં અનેક માણસોએ પ્રેરણા મેળવી છે અને પોતાનું જીવન ધન્ય બનાવ્યું છે. અનેક રાષ્ટ્ર-પ્રમુખોએ તેમના સિધ્ધાંતો દ્વારા પોતાના રાજકીય અને સામાજીક કાર્યક્રમોની રૂપરેખા ઘડીને સફળતા મેળવી છે. દુનિયામાં હાલમાં પણ ગાંધીજીના જીવન મુલ્યોને અનુસરનાર એક ખુબ મોટો વર્ગ છે. તેની સામે આપણા દેશમાં ગાંધી મૂલ્યોનો અનુભવ થઇ રહ્યો છે. રાજકીય નેતાઓ અને પક્ષો માટે ગાંધીજી માત્ર નામ બની રહ્યા છે. મત મેળવવા આ નામની જરૂર હોવાથી અનિચ્છાએ પણ તે નામનો ઉપયોગ તો કરીએ છે પણ નીતિઓ અને જીવનમાંથી ગાંધી-મુલ્યો ધીમે ધીમે ભુલાઈ રહ્યા હોય તેમ સામાન્ય લોકોને લાગી રહ્યું છે. આવામાં ‘શહીદ દિવસ’ એ માત્ર ઔપચારિકતા બની રહે છે. કેટલાક તો બે મિનિટનું મૌન પણ પાળતા નથી. કેટલાકને ગાંધીજીના મુલ્યો પસંદ ના હોય તે શક્ય છે. લોકશાહીમાં દરેકને પોતાનો મત રજુ કરવાનો અધિકાર છે. પણ ‘શહીદ દિવસ’ એ સમગ્ર દેશના શહીદોને યાદ કરવાનો અવસર છે. આ દિવસનું માન સચવાય એ ઇચ્છનીય છે.
આજે દુનિયાભરમાંથી આયાત કરેલી ચીજ વસ્તુઓ માટે ભારત એ બજાર બન્યું છે ત્યારે ગાંધીની સ્વદેશીની વિચારસરણી આપણને ના ગમે. ડગલે ને પગલે જુઠ ઉપર ટકેલો આજનો વ્યવહાર ગાંધીના સત્યના આગ્રહને ના માને. રોજ-બરોજ હિંસાને મહત્વ આપતો આજનો સમાજ ગાંધીના અહિંસાના સિધ્ધાંતને ના સમજે. દેખાડો કરવાના શોખીન આપણને એક પોતડીમાં લપેટાયેલા ગાંધીનું શરીર ફેશનેબલ નહી લાગે. આ બધું સ્વાભાવિક લાગે છે પણ જે સમય, વાતાવરણ અને પરિસ્થિતિઓમાં આ સિધ્ધાંતો સાથે ગાંધીજી જીવ્યા એ પરિસ્થિતિઓ આજના કરતા વધારે પ્રતિકુળ હતી. અને એટલે જ આજે અગાઉ કરતા પણ વધુ ગાંધી મુલ્યોના ફેલાવાની જરૂર છે. સાચે જ, આઇન્સ્ટાઇને ગાંધીજી માટે કહેલું કે લોકો વિશ્વાસ નહી કરે કે હાડ-માંસનો આવો માનવી ખરેખર જીવતો હતો. અર્થાત, આવા મુલ્યો સાથે જીવાય તેવું લોકો માની પણ નહી શકે. એ કથનને આજે આપણે એક સદી કરતા પણ ઓછા સમયમાં સાચુ સાબિત કરી દીધું.
માભોમની સ્વતંત્રતા અને ખુશહાલી માટે કુરબાની આપનાર તમામ નામી-અનામી શહીદોને કોટી કોટી વંદન કરી દેશના સામાન્ય જન તરીકે આવો આપણે સૌ ‘શહીદ દિવસ’ને મન, કર્મ અને વચનથી સાર્થક કરવાનો સંકલ્પ કરીએ.
‘‘કમજાેર કયારેય માફ નથી કરી શકતો. માફ કરવા માટે ખૂબજ તાકાતની જરૂરત હોય છે.”
‘‘મારો ધર્મ સત્ય અને અહિંસા ઉપર આધારિત છે સત્ય મારો ભગવાન છે અને અહિંસા તેને મેળવવાનું સાધન”
‘‘મારૂ જીવન એ મારો સંદેશ છે.”
‘‘પોતાની ભૂલને સ્વીકારવી એ જાડુ લગાડવા સમાન છે, જે સત્યને સાફ અને ચમત્કાર બનાવી દે છે”
‘‘વ્યકિત પોતાના વિચારોથી નિર્મિત એક પ્રાણી છે,
તે જેવું વિચારે છે, તેવો બની જાય છે.”

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!