ભેસાણમાં એક હજાર ખેડૂતોની ઉપસ્થિતિ વચ્ચે કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલન યોજાયું

0

ભેસાણમાં કોંગ્રેસ દ્વારા ખેડૂત બચાવો-દેશ બચાવોનાં નેજા હેઠળ ખેડૂતોનું ભવ્ય સંમેલન યોજાયું હતું, જેમાં ભેસાણ શહેરનાં એક હજાર જેટલા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતોનાં વિવિધ જટીલ પ્રશ્નો સરકાર સુધી પહોંચાડવા માટે અગ્રણીઓએ ચર્ચા કરી હતી. ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાનાં નેતૃત્વમાં ભેસાણ સહકારી મંડળીનાં પ્રમુખ અને સ્થાનિક કોંગ્રેસ નેતા રામજીભાઈ ભેસાણીયા દ્વારા ખેડૂતોનું સંમેલન યોજાયું હતું. જેમાં ખેડૂતો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ તકે ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયાએ જણાવ્યું હતું કે, કૃષિ બિલ ખેડૂતો માટે નુકશાનકારક સાબીત થશે, આ બિલ નાબૂદ કરવું જાેઈએ તેમજ ખેડૂતો માટે આર્શિવાદરૂપ પાકવિમા યોજના સરકારે બંધ કરી છે તે શરૂ કરવા માંગ ઉઠી હતી. વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, દિલ્હી ખાતે ચાલી રહેલ ખેડૂત આંદોલન તોડવા માટેનાં પ્રયત્ન થઈ રહ્યા છે તે નિંદનીય છે. આ તકે રામજીભાઈ ભેસાણીયાએ જણાવ્યું હતું કે, ખેડૂતોની અનેક સમસ્યાઓ છે તે ભાજપ સરકારને દેખાતી નથી. આ તકે જીલ્લા કોંગ્રેસ પ્રમુખ નટુભાઈ પોંકીયા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ વજુભાઈ મોવલીયા, જી.પ.નાં સદસ્ય નિતીનભાઈ રાણપરીયા, ભાવેશભાઈ ત્રાપસીયા સહિત કોંગી અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!