ગિરનાર પર્વત ઉપર ડોળી એસોસીએશનની વિવિધ માંગણી અંગે જૂનાગઢ કલેકટરને અપાયું આવેદન પત્ર

0

જૂનાગઢમાં ગિરનાર પર્વત ઉપર આવેલા અંબાજી માતાના મંદિર ખાતે ઓફિસ માટે જગ્યા ફાળવવા અને મૃતક ડોળીવાળાના વારસદારોને દુકાન ફાળવવા જૂનાગઢ જિલ્લા કલેકટરને ડોળી એસોસીએશન દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે. આ અંગે ડોળી એસોસીએશનના પ્રમુખ રમેશભાઈ બાવળીયાએ જણાવ્યું હતું કે, રોપવે શરૂ થયા બાદ લાયસન્સ ધારક ડોળીવાળાને દુકાનો આપવાની સમજૂતી કરવામાં આવી હતી. ૭૦ ડોળીવાળા મૃત્યું પામ્યા હોય તેમના વારસદારોને દુકાન ફાળવવા તેમજ ગિરનાર પર્વત ઉપર આવેલ અંબાજી મંદિર ખાતે ડોળી રાખવા, કાંટો રાખવા, બેઠક વ્યવસ્થા કરવા તેમજ ડોળી એસોસીએશનની ઓફિસ માટે જગ્યા ફાળવવા તથા ડોળી એસોસીએશનના રપ સભ્યોને રોપવેમાં વારા મુજબ ફ્રી પાસ આપવા આવેદનપત્રમાં માંગણી કરવામાં આવી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!