જૂનાગઢ જેસીઆઈ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવાયો

0

જૂનાગઢ જેસીઆઈ દ્વારા રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરાઈ હતી જેમાં જૂનાગઢ શહેરની સરસ્વતી સ્કુલ, પ્રેમાનંદ સ્કુલ સહિતની શાળાઓમાં ૬પ૦થી વધારે વિદ્યાર્થીઓને નૈતિકતાના શપથ સંસ્થાના ડાયરેકટર કિશોરભાઈ ચોટલીયા દ્વારા લેવડાવાયા હતા. આ કાર્યક્રમમાં અરવિંદભાઈ સોની, કિશોરભાઈ ચોટલીયા, કમલભાઈ સેજપાલ, યતિનભાઈ કારીયાના માર્ગદર્શન હેઠળ જયદીપ ધોળકીયા, ચેતન સાવલીયા, વિરલ કડેચા, ચીરાગ કડેચા સહિતનાં જેસીઆઈના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે સરસ્વતી સ્કુલના પ્રદિપભાઈ ખીમાણી, નરેશભાઈ ખીમાણી, જગદીશભાઈ ખીમાણી, ડો. રાઘુભાઈ ખીમાણી અને પ્રેમાનંદ સ્કુલના માતંગભાઈ પુરોહિતનો જૂનાગઢ જેસીઆઈ પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!