દ્વારકાના ભડકેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલે છપ્પન ભોગ દર્શન મનોરથ

0

પવિત્ર યાત્રાધામ દ્વારકા ખાતે સમુદ્રની જળરાશિ વચ્ચે ઘેરાયેલા ઐતિહાસીક શિવાલય શ્રી ભડકેશ્વર મહાદેવના મંદિરે આવતીકાલ તા. ૭-ર-ર૧ને રવિવાર (પોષ વદ-૧૧) ના શુભ દિને છપ્પન ભોગ અન્નકુટ ઉત્સવના દર્શન મનોરથનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે સાંજે પાંચ કલાકે અન્નકુટ ઉત્સવ પ્રસંગે મહાઆરતી યોજાશે. ત્યારબાદ પાંચ થી ૧૦ દરમ્યાન છપ્પન ભોગ મનોરથના દર્શન યોજાશે. સમગ્ર છપ્પન ભોગ મનોરથના દર્શનનો લાભ લેવા શહેરની ધર્મપ્રેમી જનતાને શ્રી ભડકેશ્વર મહાદેવ મંદિરના પુજારી સંગીતાબેન ધનરાજગીરી ગોસ્વામી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે. છપ્પન ભોગ મનોરથમાં કોઇપણ ભકતોને સહયોગ આપવો હોય તો મંદિરના પુજારીનો સંપર્ક કરવા જણાવાયું છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!