રાજસ્થાનની વર્ધમાન મહાવીર ઓપન યુનિવર્સિટીમાં કોટાની એકેડેમિક કાઉન્સિલના સભ્ય તરીકે પ્રો. જયદિપસિંહ ડોડીયાની નિમણૂંક

0

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંગ્રેજી ભવનના સિનિયર પ્રોફેસર ડો. જયદિપસિંહ ડોડીયાની રાજસ્થાનની વર્ધમાન મહાવીર ઓપન યુનિવર્સિટી કોટાની એકેડેમિક કાઉન્સિલના સભ્ય તરીકે બે વરસ માટે નિમણૂંક થયેલ છે. વર્ધમાન મહાવીર ઓપન યુનિવર્સિટી અધિનિયમ ૧૯૮૭ ની કલમ ૯ (૧) (એફ) ની જાેગવાઈ મુજબ એકેડેમિક કાઉન્સિલ દ્વારા યુનિવર્સિટી બહારના ત્રણ નામાંકિત શિક્ષણવિદોની થતી નિમણૂંકમાં રાજકોટના અંગ્રેજીના વરિષ્ઠ પ્રાધ્યાપક ડો. જયદિપસિંહ ડોડીયાનો સમાવેશ થયેલ છે. પ્રો. ડોડીયા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સેનેટ, સિન્ડિકેટ, એકેડેમિક કાઉન્સિલ તેમજ બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ સહીતના મહત્વના સત્તા મંડળોમાં સક્રિય સભ્ય રહી ચુક્યા છે. ઓક્ટોબર ૨૦૧૩ માં પ્રો. ડોડીયાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ તરીકે અલ્પ સમય માટે કરેલી કામગીરી શિક્ષણજગત લાંબા સમય સુધી યાદ રાખે તેવી નોંધપાત્ર રહી હતી. વર્ધમાન મહાવીર ઓપન યુનિવર્સિટી કોટાની એકેડેમિક કાઉન્સિલના સભ્ય પદે નિયુક્ત થવા બદલ પ્રો. જયદિપસિંહ ડોડીયાને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણી, શ્રી ગોવિંદ ગુરૂ યુનિવર્સિટી-ગોધરાના કુલપતિ ડો. પ્રતાપસિંહ ચૌહાણ, વર્ધમાન મહાવીર ઓપન યુનિવર્સિટીના કુલપતિ પ્રો. રતનલાલ ગોદારા, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઉપકુલપતિ ડો. વિજયભાઈ દેસાણી, ઉદયસિંહ રામભાઈ ઝાલા (ખાપટ) અને દીપસિંહ રામભાઈ ઝાલા (ખાપટ)એ અભિનંદન પાઠવ્યા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!