અનિયમીતતા બદલ ૪ શાળાઓના આચાર્ય, શિક્ષકોને નોટીસ ફટકારતા જીલ્લા શિક્ષણાધિકારી

0

જૂનાગઢ જીલ્લા શિક્ષણાધિકારી આર.એસ. ઉપાધ્યાયએે જીલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તરીકે વધારાનો ચાર્જ સંભાળ્યો ત્યારથી શ્રી ઉપાધ્યાય પ્રાથમિક શાળાઓની સતત ઓચિંતી મુલાકાતો લઈ રહયા છે. જેમાં ભેંસાણ તાલુકાની ગઈકાલે અંતરીયાળ વિસ્તારની ચાર શાળાની શ્રી ઉપાધ્યાયની ઓચિંતી મુલાકાત દરમ્યાન શાળાનાં આચાર્ય અને શિક્ષકોને અનિયમિતતા બદલ ભેંસાણ તાલુકાની ડમરાળા, સરદારપરા અને ચુડા પે.સેન્ટર શાળાને નોટીસ ફટકારી અને જીલ્લાભરના પ્રાથમિક શાળાના શિક્ષકોને શાળામાં નિયમિત હાજર રહેવા કડક રીતે સુચના આપી છે અને અનિયમીત રહેશો તો આકરા પગલા લેવા નિર્દેશ આપેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!