જૂનાગઢમાં આવતીકાલે પત્રકારોનું બહુમાન થશે

0

કોવીડ-૧૯ની કપરી પરિસ્થિતિમાં પોલીસ સ્ટાફ, મેડીકલ સ્ટાફ, સફાઈ કામદાર તથા જૂનાગઢની અનેક સેવાભાવી સંસ્થાઓ સાથે ખભેખભો મેળવી અને પત્રકાર મિત્રોએ જે સેવાકરી છે તે બદલ જૂનાગઢનાં મહામુલા પત્રકારોને સન્માનીત કરવાનો એક કાર્યક્રમ આવતીકાલે સવારે ૧૦ કલાકે શ્રી રાજ કોમ્પ્લેક્ષ બીજા માળે દરગાહ પાસે વણઝારી ચોક જૂનાગઢ ખાતે યોજવામાં આવનાર છે. કાર્યક્રમનાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે શહેર ભાજપ પ્રમુખ પુનિતભાઈ શર્મા રહેશે જયારે મુખ્ય મહેમાન તરીકે નગરપાલિકા સેલના કન્વીનર પ્રદિપભાઈ ખીમાણી રહેશે. સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને સેનેટાઈઝરનાં પાલન સાથે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે. જૂનાગઢના જાણીતા સામાજીક કાર્યકર સંજયભાઈ પંડયા દ્વારા આયોજીત આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આ કાર્યક્રમમાં પત્રકાર મિત્રોને ઉપસ્થિત રહેવા સંજયભાઈ પંડયા દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!