જૂનાગઢ : બાળકોએ રામ મંદિર નિર્માણમાં પોતાની બચત અર્પણ કરી

0

અયોધ્યા ખાતે શ્રી રામ મંદિર નિર્માણ માટે ૩ વર્ષના ભાઈ અને ૫ વર્ષની બહેન દ્વારા માટીના ગલ્લામાં એકઠી થયેલી બચત અર્પણ કરેલ હતી. ૬ ડિસેમ્બર ૧૯૯૨ના કારસેવક અને શિશુકાળથી સંઘના સ્વયંસેવક સમીર જાેશી અને સંજ્ઞા જાેશીના સંતાનો જયિત્રીબહેન અને ઓમભાઈએ શિશુકાળમાં જ શ્રીરામ જન્મભૂમિ મુક્તિ અને ભવ્ય મંદિર નિર્માણ પ્રત્યે પરીવારનો તન, મન, ધન સમર્પણનો વારસો આગળ વધારતાં પોતાની બચત અર્પણ કરી શ્રીરામ પ્રભુના વિરાટ કાર્યમાં ખિસકોલી જેટલું ધન અર્પણ કરવાનો પ્રયાસ કરેલ છે જે સૌ જૂનાગઢવાસીઓ માટે પ્રેરણાદાયક છે. આ પ્રસંગે જૂનાગઢ મહાનગર સમિતિનાં સંયોજક હિરેન રૂપારેલીયા અને ગિરનાર ઉપનગર સંયોજક હસમુખ પરમાર સહિતના કાર્યકર્તાઓએ હાજરી આપી બાળકોના સમર્પણને સ્વીકાર્યું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!