સુત્રાપાડા નજીક અકસ્માતે છકડો પલ્ટી ખાઇ જતા એકનું મોત, ચાર ઇજાગ્રસ્ત

0

ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકાના કડસલા ગામે રહેતા બામણીયા પરીવારના સભ્યો છકડો રીક્ષામાં શ્રીમંતના પ્રસંગમાં જઇ રહેલ તે સમયે રસ્તામાં રીક્ષા પલ્ટી ખાઇ જતા તેમાં બેસેલ ચાર મહિલાઓ સહીત ચાલકને નાની-મોટી ઇજાઓ સાથે હોસ્પીટલે સારવારમાં ખસેડવામાં આવેલ જેમાં એક મહિલાનું મૃત્યું નીપજેલ છે. આ અકસ્માત અંગે સુત્રાપાડા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
અકસ્માતની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ સુત્રાપાડાના કડસલા ગામે રહેતા બેચરભાઇ લખમણભાઇ બામણીયા, તેમનાં પત્ની મંજૂબેન તથા અન્ય સંબંધીઓ સોમીબેન ઉકાભાઇ બામણીયા, લક્ષ્મીબેન અભેસિંગ, વેજીબેન વજુભાઇ બામણીયા છકડો રીક્ષા નં. જી.જે. ૩ર યુ. ૦૩૭૯માં નજીકમાં આવેલ કુકરાશ ગામે શ્રીમંતના પ્રસંગમાં જઇ રહેલ હતા. તે સમયે રસ્તામાં ગોરખમઢી ગામ પાસે આવેલ કોલ્ડ સ્ટોરેજ નજીક રીક્ષા અકસ્માતે પલ્ટી ખાઇ જતા ચાલક સહીતનાને સવાર લોકોને ઇજાઓ પહોંચી હતી.
આ સમયે રસ્તા ઉપરથી પસાર થઇ રહેલ અન્યે રાહદારી લોકોએ ઇમરજન્સી સેવા ૧૦૮ને બોલાવી ઇજાગ્રસ્ત તમામને ખાનગી હોસ્પીટલે સારવારમાં ખસેડેલ હતા. રીક્ષામાં સવાર મજૂબેનને માથામાં તથા છાતીના ભાગે ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર દરમ્યાન મૃત્યું નીપજેલ હોવાનું તબીબે જાહેર કરેલ હતું. આ અકસ્માત અંગે મૃતક મંજૂબેનના પુત્ર મનસુખ બેચરભાઇ બામણીયાએ રીક્ષા ચાલક સામે ફરીયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!