કોંગ્રેસના ર્નિણયથી રાજ્યસભાની ૨ બેઠકો ઉપર ભાજપના બંને ઉમેદવારો થયા બિનહરીફ

0

ભાજપે રાજ્યસભાની ખાલી પડેલી બેઠેકો ઉપર બે ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. ભાજપે દરવખતની જેમ આ વખતે પણ બંને બેઠકો ઉપર નવા જ નામો જાહેર કર્યા છે. ભાજપે રાજ્યસભાની બે બેઠકો ઉપર દિનેશભાઇ જેમલભાઇ પ્રજાપતિ અને રામભાઇ મોકરિયાનું નામ જાહેર કર્યું છે. કોંગ્રેસના અહેમદ પટેલ અને ભાજપના અભય ભારદ્વાજના નિધન બાદ આ બંને બેઠકો ખાલી પડી છે. નોંધનીય છે કે, ૧ માર્ચના રોજ રાજ્યસભાની પેટાચૂંટણી યોજાવવાની છે. હાલ મળતી માહિતી પ્રમાણે,
બે ઉમેદવારોમાંથી એક સૌરાષ્ટ્રમાંથી અને અન્ય ઉત્તર ગુજરાતમાંથી આવે છે. જાે આપણે ઉમેદવારોની વાત કરીએ તો દિનેશ પ્રજાપતિ ઓબીસી ચહેરો છે, તેઓ બનાસકાંઠામાંથી આવે છે. તેઓ જિલ્લા ભાજપના પૂર્વ મહામંત્રી, જિલ્લા ભાજપ પૂર્વ યુવા મોરચા પ્રમુખ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ બક્ષીપંચ મોરચાના પ્રમુખ છે. રામભાઈ મોકરિયા એબીવીપી કાર્યકર્તા છે. તેઓ મૂળ પોરબંદરના નિવાસી છે. તેઓ હાલ રાજકોટમાં કાર્યરત છે. તેઓ મારૂતિ કુરિયરના માલિક છે અને ભાજપ સાથે વર્ષોથી જાેડાયેલા છે. હાલમાં રાજકીય વર્તુળોમાં તેવી ચર્ચા ચાલી રહી છે કે, બંને બેઠક ઉપર ભાજપ પોતાના બે ઉમેદવાર રાજ્યસભામાં મોકલવા માટે સફળ થશે. કારણ કે વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી બાદ અમિત શાહ અને સ્મૃતિ ઈરાનીની ખાલી પડેલી રાજ્યસભા બેઠક ઉપર યોજાયેલી ચૂંટણીમાં ધારાસભ્યોએ બંને બેઠકો માટે અલગ-અલગ મત આપવા પડ્યા હતા. એટલે કે, ચૂંટણી ભલે એક જ દિવસે યોજાય પરંતુ બંને બેઠકો માટે વિધાનસભાના તમામ સભ્યો અલગ-અલગ મતદાન કરશે. કોંગ્રેસે જે તે સમયે આ મુદ્દાને સુપ્રીમ કોર્ટમાં પણ પડકાર્યો હતો. પરંતુ ચૂંટણી પંચ દ્વારા વર્ષ ૨૦૦૯ અને ૧૯૯૪માં યોજાયેલી ચૂંટણીનો રેફરન્સ આપતા એક જ જાહેરનામા અને બંનેએ બેઠકોની અલગ-અલગ ચૂંટણી કરવા થયેલા આ પ્રક્રિયાનો હવાલો આપ્યો હતો એટલે કે ગુજરાતની ખાલી પડેલી બંને બેઠકો ઉપર ભાજપના બંને ઉમેદવારને જીત મળશે અને રાજ્યસભામાં પહોચશે.
કોંગ્રેસ નહિ ઉતારે ઉમેદવાર
રાજ્યસભામાં ભાજપના બંને ઉમેદવાર બિનહરીફ થયા છે. કોંગ્રેસ એક પણ ઉમેદવાર રાજ્યસભામાં નહીં ઉતારે કારણ કે, વિધાનસભામાં કોંગ્રેસ પાસે પુરતુ સભ્ય સંખ્યાબળ છે જ નહીં. અને પુરતુ સભ્ય સંખ્યાબળ ન હોવાથી જ આ ર્નિણય લેવામાં આવ્યો છે. બંને બેઠક માટે અલગ અલગ જાહેરનામું હોવાથી ર્નિણય લેવામાં આવ્યો છે. હાલની સ્થિતિએ કોંગ્રેસના ઉમેદવાર જીતવાની સ્થિતિએ નથી. રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસના માત્ર ૩ સભ્યો જ બાકી રહી જશે. રાજ્યસભામાં ગુજરાતની ૧૧ બેઠકો છે. ચૂંટણી બાદ ભાજપનાં ૮ અને કોંગ્રેસના ૩ સભ્યો રહેશે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!