આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ ખાતે આવતીકાલે ડાયાબીટીસ કેમ્પ યોજાશે

0

સરકારી આયુર્વેદ મહાવિદ્યાલય/હોસ્પિટલ જૂનાગઢના સ્વસ્થવૃત્ત વિભાગ અંતર્ગત કાર્યરત વેલનેસ સેન્ટર દ્વારા તા.૧૯/૦૨/૨૦૨૧ના રોજ સવારે ૯.૦૦થી બપોરે ૧૨ કલાક સુધી મધુપ્રમેહ-ડાયાબીટીસ માટે નિદાન અને યોગ તથા આહાર-વિહાર માર્ગદર્શન શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. ડાયાબીટીસ મટાડી શકાતો નથી, પણ તમે તેને કાબુમાં રાખી શકો છો. યોગ્ય સલાહ, સહાયતા અને માહિતી દ્વારા તમે તમારા ડાયાબીટીસને નિયંત્રણ કરી શકો છો. જાે તમે ડાયાબીટીસનાં લક્ષણો તથા ઉપદ્રવોથી મુક્ત થવા ઇચ્છતા હોયે તો ૧૯ ફેબ્રુઆરી ૨૦૨૧ના રોજ સવારે ૯ થી બપોરે ૧૨ વાગ્યા દરમ્યાન સરકારી આયુર્વેદ હોસ્પિટલ જૂનાગઢ ખાતે વેલનેસ સેન્ટરમાં યોગ અને આહારના માર્ગદર્શન માટે ઉપસ્થિત રહેવા એક યાદીમાં જણાવેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!