કોડીનાર ખાતે ગીર સોમનાથ રઘુવંશી સમાજનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો

0

ગીર સોમનાથ લોહાણા રઘુવંશી પરિવાર દ્વારા ભાજપ સંગઠન મંત્રી તરીકે ઝવેરીભાઈ ઠકરારની અને મહાપરિષદના ઉપપ્રમુખ તરીકે જીતુ લાલની વરણી થયેલ હોય આ બંને આગેવાનોનું સન્માન કરવા જિલ્લાના ૧૩ મહાજનો દ્વારા કોડીનાર ખાતે ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો. કોડીનાર લોહાણા મહાજનના યજમાનપદે ગીર સોમનાથ જિલ્લાના ૧૩ મહાજનો જેમાં કોડીનાર, વેરાવળ, ઉના, તાલાલા, સાસણ, પ્રાંચી, ઘાંટવડ, ડોળાસા, ગીરગઢડા, દીવ દેલવાડા, હરમડીયા, પ્રભાસપાટણ, સોમનાથના પ્રમુખો, કારોબારી સભ્યો, આગેવાનોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ડોલરભાઈ કોટેચા (જૂનાગઢ કો.કો. બેંક), એન.એન. રાડીયા (જીએચસીએલ પ્રેસીડેન્ટ-સુત્રાપાડા) ડો. નિશાંતભાઈ ચોટાઈ(કારોબારી પ્રમુખ લોહાણા મહાજન, રાજકોટ) ઉપસ્થિત રહ્યા હતા. કોડીનાર લોહાણા મહાજનનાં અતુલ ગંગદેવ, મુકેશભાઈ પુજારા, વિજયભાઈ કાનાબાર સહિત ૧૩ મહાજનોનાં પ્રમુખ, ઉપપ્રમુખ, આગેવાનો દ્વારા બંને મહાનુભાવોનું શાલ ઓઢાડી, ફુલહાર કરી, સ્મૃતિ ચિન્હ અર્પણ કરી સન્માન કરાયું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ચેમ્બર ઓફ કોમર્સ કોડીનારના પ્રમુખ અને જ્ઞાતિના અગ્રણી હરીભાઈ વિઠલાણી દ્વારા આગવી શૈલીમાં કરાયું હતું.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!