જૂનાગઢમાં ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો

0

જૂનાગઢનાં ગેંડારોડ વાલ્મીકીવાસ ખાતે રહેતા જગદીશ લખમણભાઈ પરમાર (ઉ.વ.પપ)એ કોઈ કારણસર ગળાફાંસો ખાઈ જીવનનો અંત આણેલ છે.
અપમૃત્યુના અન્ય બનાવ
કેશોદનાં પ્રાંસલી ગામનાં રમણીક રાણાભાઈ ખાણીયા (ઉ.વ.૪૮) અસ્થીર મગજના હોય પોતાની મેળે સળગી જતા દાઝી જતા મૃત્યુ થયેલ છે. જયારે માંગરોળનાં અમુભાઈ મસરીભાઈ પરમાર (ઉ.વ.૪પ) દારૂ પીવાની ટેવવાળો હોય અને પગપાળા જઈ રહયો હતો. તે દરમ્યાન રસ્તામાં પડેલ પથ્થરો ઉપર પડી જતાં ગંભીર ઈજા થવાને કારણે તેનું મૃત્યુ નિપજેલ છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!