આજે ખોડીયાર જયંતિ માતાજીનાં મંદિરમાં વિશેષ પુજા

0

મહામાસનાં નવરાત્રીનું પર્વ ચાલી રહયું છે. ત્યારે આજે મહાસુદ આઠમ એટલે કે આઈશ્રી ખોડીયાર માતાજીની આજે જયંતિ હોય આ નિમીતે માતાજીનાં મંદિરમાં પૂજન-અર્ચન આરતી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહયા છે. ભકતજનોની જયાં શ્રધ્ધા રહેલી છે. અને આઈશ્રી ખોડીયાર માતાજી તેમનાં શરણે આવનારા ભકતજનોની મનોકામના પુર્ણ કરે છે તેવા આઈશ્રી ખોડીયાર માતાજીનાં આર્શિવાદ સમગ્ર વિશ્વ ઉપર ઉતરે તેવી પ્રાર્થના ખોડીયાર માતાજીનાં આવેલા મંદિરોમાં આજે ભાવિકો દર્શનાર્થે ઉમટી રહયા છે. સૌરાષ્ટ્ર-કચ્છ ગુજરાતની વાત કરીએ તો રાજપરા ખાતે આવેલા ખોડીયાર માતાજીનું મંદિર, માટેલધરા, તાંતણીયાધરા તેમજ ખોડલધામ અને જૂનાગઢ શહેરમાં આવેલા વિવિધ વિસ્તારોમાં માતાજીનાં મંદિરોમાં પૂજન સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહયા છે. શ્રી ખોડીયાર માતાજી હાજરા હજુર રહી અને ભકતજનોની મનોકામના પુર્ણ કરતા હોય છે. અનેક પરચા આ કળીયુગમાં માતાજીએ પુર્યા છે તેવા આઈશ્રી ખોડીયાર માતાજીને ભકતજનો આજે વંદના કરી રહયા છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!