દેલવાડામાં ખ્વાજા સાહેબનાં ૮૦૯માં ઉર્ષની ધામધૂમથી ઉજવણી કરાઈ

0

ઉના પંથકના દેલવાડા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજસ્થાનના અજમેરમાં આવેલ કોમી એકતાનાં પ્રતીક ખ્વાજા સાહેબનાં ૮૦૯ માં ઉર્ષની ઉજવણી કાજી કોલોની ખાતે કરવામાં આવી હતી જેમાં મહિલાઓની મિલાદ શરીફ કરી ન્યાઝ તકસીમ કરવામાં આવી હતી જેનો બહોળી સંખ્યામાં સર્વે સમાજના લોકોએ લાભ લીધો હતો. આ તકે ઉમરભાઈ ચૌહાણ , ભીખુભાઈ સોલંકી, મમદભાઈ ભટ્ટી સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી. તેમજ જુમ્મા મસ્જિદ ચોકમાં દેલવાડા વાઈ – ફાઈ ગ્રુપ દ્વારા પણ ઉજવણી કરવામાં આવી હતી.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!