દાનરૂપી મળેલ ચક્ષુનું ડો.થાનકીએ પ્રત્યારોપણ કરી એક વ્યક્તિનાં જીવનમાં અજવાળાં પાથર્યાં

0

‘મરતા હૈ શરીર અમર હૈ આત્મા ચક્ષુદાન સે મિલતે હૈ સ્વયં પરમાત્મા’. ચક્ષુદાનથી અન્યના જીવનમાં પરમાત્માની બનાવેલ સૃષ્ટીને જાેવાનું સૌભાગ્ય સાંપડવાનો સુખદ દિવસ અપારનાથી પરિવારમાં આવ્યો હતો જેનું જે શ્રેય મુનિ સંત બાલાજી આઈ બેંકના ડો.થાનકીને ફાળે જાય છે. અન્યના ચક્ષુદાનથી લોએજ ગામના દર્દી ભીખનગીરી મોહનગીરી અપારનાથીને ડો.થાનકી દ્વારા પ્રત્યારોપણ કરી સફળ ઓપરેશન કરવામાં આવ્યું હતું. ડો.થાનકીએ આ માટે દર્દીના સગાને ફોન કરેલ જેથી કિશોરભાઈ માલદેભાઈ બામરોટીયાની ગાડી લઈ અને રામભાઈ જેઠાભાઈ નંદાણિયા(ભગત), રમેશભાઈ રાણાભાઈ સોલંકી દર્દી ભીખનગીરી મોહનગીરી અપારનાથી કે જેઓ સંપૂર્ણ અંધ હતા તેમને સાથે લઈ વેરાવળ મુનિ સંત બાલાજી આઈ બેંકે પહોંચ્યા હતા. ડો.થાનકી દ્વારા સફળ ઓપરેશન કરી આંખનું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું. ડો.થાનકીએ ફી લીધા વિના સફળ ઓપરેશન કરી ભીખનગીરીના જીવનમાં નવી રોશનીનો સંચાર કર્યો છે. આ તકે શિવમ્‌ ચક્ષુદાન-આરેણા દ્વારા ડો.થાનકીનો આભાર વ્યકત કરાયો હતો.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!