જૂનાગઢમાં ધ ફર્ન લીયો રીસોર્ટનાં કેશીયર સામે રૂા.૪,પ૬,૪૭૩ની છેતરપીંડીની ફરીયાદ

0

જૂનાગઢ ગિરનાર દરવાજા વિસ્તારમાં આવેલ ધ ફર્ન લીયો રીસોર્ટમાં ફરજ બજાવતા અતુલગીરી કાળુગીરી ગોસ્વામી (ઉ.વ.૩૪) રહે.અમદાવાદ ન્યુ નરોડા બી ર૦૩, વૃંદાવન રેસીડેન્શી હરીદર્શન ચાર રસ્તા પાસે અને હાલ ધ ફર્ન લીયો રીસોર્ટ વાળાએ મુળ જામનગરનાં અને હાલ જૂનાગઢ પ્રમુખનગર ક્રોમા મોલ ખાતે રહેતા રાકેશ બીપીનભાઈ માંડવીયા સામે એવા મતલબની ફરીયાદ નોંધાવી છે કે, આ કામના આરોપી ધ ફર્ન લીયો રીસોર્ટમાં હોટલના એકાઉન્ટ વિભાગમાં કેશીયર તરીકે નોકરી કરતો હોય અને આવકના રૂપિયા ૧૦,૮૭,ર૯૭/- ઓનરની ઓફીસના એકાઉન્ટ વિભાગમાં જમા કરાવવાના થતા હોય જેમાંથી રૂપિયા ૪,પ૬,૪૭૩/- ઓછા જમા કરાવી ફરીયાદી તથા મેનેજમેન્ટ વિભાગ સાથે છેતરપીંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરીયાદ પોલીસમાં નોંધાવતા પોલીસે કલમ ૪૦૮, ૪ર૦ અંતર્ગત ગુનો દાખલ કરેલ છે. આ બનાવની વધુ તપાસ ભવનાથ પોલીસ સ્ટેશનનાં પીએસઆઈ એન.કે.વાજા ચલાવી રહયાં છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!