વેરાવળ અને તાલાલાની પરિણીતાઓને સાસરીયાઓએ ત્રાસ આપી કાઢી મુકી

0

વેરાવળના ભાલકા વિસ્તારમાં રહેતી તથા તાલાલાના સીદીવાડા વિસ્તારમાં રહેતી બે પરણીતાઓને તેમના પતિ સહીતના સાસરીયાઓ દ્વારા કરીયાવરમાં કાંઇ લાવી નથી તેવા મેણાટોણા મારી ઘરેથી કાઢી મુકેલ હોવાની ગીર સોમનાથ જીલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વેરાવળના ભાલકા વૃંદાવન સોસાયટીમાં રહેતી ક્રિષ્નાબેન મેહુલભાઇ ચુડાસમાને તેના પતિ મેહુલ પ્રતાપભાઇ ચુડાસમા, સાસુ પરીતાબેન, મામાજી સસરા પ્રકાશભાઇ બાબુભાઇ વાઢેર દ્વારા કરીયાવરમાં કાઇ લાવી નથી, ઘરકામ આવડતું નથી તેમ કહી બીભત્સ શબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી ઘરેથી કાઢી મુકેલ હોવાની ફરીયાદ પરણીતાએ ગીર સોમનાથ જીલ્લા મહિલા  પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
આ ઉપરાંત તાલાલાના સીદીવાડા વિસ્તારમાં રહેતી રોજાતનબેન સલીમભાઇ મુરીમાને તેના પતિ સલીમ નુરમહમદ મુરીયા, દીયર સીંકદર તથા ઇકબાલ દ્વારા કરીયાવરમાં કાંઇ લાવી નથી તેમ કહી બીભત્સ શબ્દો બોલી ઢીકાપાટુનો માર મારી શંકા-કુશંકા કરી શારીરીક માનસીક ત્રાસ આપી રોજાતનબેનને દિકરી સાથે ઘરમાંથી કાઢી મુકેલ હોવાની ફરીયાદ ગીર સોમનાથ જીલ્લા મહિલા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ છે. બંન્ને પરિણીતાની ફરીયાદના આધારે પોલીસે ગુનાઓ નોંધી તપાસ હાથ ધરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!