કાલથી જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ મંદિરે વિશ્વશાંતિ અને કોરોના મહામારીની મુકિત માટે ૪ દિવસીય મહાયજ્ઞનો પ્રારંભ

0

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ મંદિર ખાતે મહંત તુલશીનાથબાપુ દ્વારા આવતીકાલથી શુક્રવાર સુધી ચાર દિવસીય મહાયજ્ઞનું આયોજન કરાયું છે. તુલશીનાથબાપુએ જણાવ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં કોરોનાની મહામારીથી અનેક લોકોનાં મૃત્યું થયા છે, અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ત્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારીમાંથી વહેલી તકે મુકત થાય અને જીવન માત્રનાં કલ્યાણ અર્થે આવતીકાલ તા.ર માર્ચથી તા.પ માર્ચ સુધી મહાયજ્ઞનું આયોજન કરાયું છે. જેનાં દર્શનનો ભાવિકોએ કોરોનાની ગાઈડલાઈન મુજબ લાભ લેવા અપીલ કરી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!